સાબરમતી આશ્રમથી દિલ્હી સુધીની ગાંધી સંદેશ યાત્રાનો આરંભ કરાવશે, ગુજરાતના દરેક જિલ્લામાંથી પસાર થશે યાત્રા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 6 એપ્રિલના રોજ ગુજરાત આવી રહ્યા છે. ઐતિહાસિક દાંડી માર્ચના અંતિમ દિવસ એટલે કે 6 એપ્રિલના રોજ રાહુલ ગાંધી સાબરમતી આશ્રમ ખાતેથી જ ‘ગાંધી સંદેશ યાત્રા’ની શરુઆત કરાવશે. આ યાત્રા નવી દિલ્હી સ્થિત સ્વ. રાજીવ ગાંધીની સમાધિ વીર ભૂમિ ખાતે સંપન્ન થશે. કોંગ્રેસના સેવાદળના કાર્યકરોની આગેવાનીમાં નિકળનારી આ યાત્રા ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન, હરિયાણામાંથી પસાર થશે અને મહાત્મા ગાંધીજીના શાંતિ સંદેશાને ઉજાગર કરશે.