સાબરમતી આશ્રમથી દિલ્હી સુધીની ગાંધી સંદેશ યાત્રાનો આરંભ કરાવશે, ગુજરાતના દરેક જિલ્લામાંથી પસાર થશે યાત્રા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 6 એપ્રિલના રોજ ગુજરાત આવી રહ્યા છે. ઐતિહાસિક દાંડી માર્ચના અંતિમ દિવસ એટલે કે 6 એપ્રિલના રોજ રાહુલ ગાંધી સાબરમતી આશ્રમ ખાતેથી જ ‘ગાંધી સંદેશ યાત્રા’ની શરુઆત કરાવશે. આ યાત્રા નવી દિલ્હી સ્થિત સ્વ. રાજીવ ગાંધીની સમાધિ વીર ભૂમિ ખાતે સંપન્ન થશે. કોંગ્રેસના સેવાદળના કાર્યકરોની આગેવાનીમાં નિકળનારી આ યાત્રા ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન, હરિયાણામાંથી પસાર થશે અને મહાત્મા ગાંધીજીના શાંતિ સંદેશાને ઉજાગર કરશે.

ઈન્ડિગોમાં મુસાફરી દરમિયાન બેગ બદલાઈ ગઈ, પેસેન્જરે વેબસાઇટ હેક કરી જાતે જ પોતાની બેગ શોધી નાખી

યાત્રા દરમિયાન પેસેન્જરના સામાન ખોવાઈ જવા અથવા એ અદલા-બદલી થઈ જવાની સમસ્યાઓ વારંવાર સાંભળવા મળતી હોય છે. આવી સ્થિતિમાં પેસેન્જર કસ્ટમર કેર સેન્ટર પર કોલ કરે છે, પરંતુ મોટા ભાગના મામલામાં કસ્ટમર કેર સેન્ટર પેસેન્જરને પોતાની સર્વિસથી સંતુષ્ટ નથી કરી શકતા, પછી પેસેન્જર પાસે કોઈ રસ્તો રહેતો નથી,. પરંતુ એક પેસેન્જરે આનાથી કંટાળીને ખોવાયેલી બેગને શોધવા માટે એરલાઈનની વેબસાઈટ જ હેક કરી લીધી.

કંપનીના નકલી લેટરપેડથી 12 લાખ ઉપાડી છેતરપિંડી

વટવા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીના લેટરપેડમાં બેંક એટેસ્ટેશન લેટરના લખાણમાં એડિટિંગ કરીને ખોટા દસ્તાવેજ બનાવી કંપનીના બે બેંક ખાતામાંથી અલગ અલગ મળી કુલ રૂ. 11.86 લાખ ઉપાડી છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ગુજરાતમાં UPની જેમ જ્ઞાતિવાદનો ઉભરો, 150થી વધુ વિધાનસભા બેઠકો પર પ્રભુત્વ ધરાવતી કોળી-ઠાકોર-પાટીદાર સહિત 4 જ્ઞાતિઓએ બાંયો ચડાવી

સમાજના નામે, સમાજ માટે અને સમાજ દ્વારા જ્ઞાતિના નામે ખેલાતું રાજકારણ ગુજરાત માટે કોઈ નવી વાત નથી. રાજકારણમાંથી જ્ઞાતિવાદ દૂર કરવાની વાતો તો સૌ કોઈ કરે છે પરંતુ ચૂંટણી આવતા જ નેતાઓ જ્ઞાતિનું શરણું લે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી વહેલી આવી રહી હોવાની ચર્ચાઓ વચ્ચે ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જ્ઞાતિવાદનો ઉભરો આવ્યો છે.

ગુજરાતમાં પાંચ વર્ષમાં રૂ.17.27 કરોડ મૂલ્યની 2 લાખથી વધુ નકલી નોટો ઝડપાઈ, દેશમાં ત્રીજું

દેશમાં 8 નવેમ્બર, 2016ના રોજ સાંજે 8 વાગ્યે નોટબંધી લાગુ કરવાના મુખ્ય ઉદ્દેશ્યમાં નકલી નોટોના ગોરખધંધા પર કાબૂ મેળવવાનો હોવાનું કહેવાયું હતું. પરંતુ 2016થી 2020 સુધીના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના આંકડાઓ જોઈએ તો જાણી શકાય છે કે ગુજરાત અને દેશમાં નકલી નોટ પર હજુ કાબૂ નથી મેળવી શકાયો. ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં રૂ.17.27 કરોડ મૂલ્યની 2 લાખથી વધુ નકલી નોટો ઝડપાઈ છે. નકલી નોટ પકડાવવા મામલે ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે.

નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસના CM પદના ઉમેદવાર બનશે, રાજસ્થાનમાં પ્રશાંત કિશોર સાથે થઈ મુલાકાત, અશોક ગેહલોતે ખેલ પાડ્યો

ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણીના સંકેતો વચ્ચે રાજકીય ઊથલપાથલનો દૌર શરૂ થવા લાગ્યો છે. ખાસ કરીને હાલ નિષ્ક્રિય રહેલી કોંગ્રેસ આગામી દિવસમાં મોટા રાજકીય ધડાકા કરે એવી પૂરી શક્યતા છે. નબળી ગણાતી ગુજરાત કોંગ્રેસ ભાજપને ઘેરવા માટે સ્ટ્રેટેજી ઘડી રહી છે અને એના માટે પૂરેપૂરું ગ્રાઉન્ડ વર્ક પણ કરી લીધું છે. ભાજપને પડકારવા માટે કોંગ્રેસે એક નવો જ રાજકીય દાવ ખેલ્યો છે, જે વિરોધી પક્ષોને પણ ઝટકો આપનારો છે.

કોલસાના ભાવ આગામી વર્ષે 55 ટકા વધવાની ભીતિ: ઈકરા

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સપ્લાયમાં ખામી સર્જાતા આયાતી કોલસાના ભાવ આગામી નાણાકીય વર્ષમાં 45થી 55 ટકા વધવાની શક્યતા છે. કોલસાની આયાત ઘટતાં સ્થાનિક ઉત્પાદકોને નુકસાન થવાની ભીતિ છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં થર્મલ અને કોકિંગ કોલસામાં 17 ટકા અને 10 ટકા હિસ્સા સાથે રશિયા કોલસાનો સૌથી મોટો સપ્લાયર છે.

ઓસ્ટ્રેલિયામાં ભણતા દર 10માંથી ત્રણ વિદ્યાર્થીઓ ગુજરાતના, ચીન કરતાં ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યા વધુ

કેનેડા, અમેરિકા બાદ હવે ગુજરાતી વિદ્યાર્થીઓમાં ઓસ્ટ્રેલિયામાં જઈને ઉચ્ચ અભ્યાસ કરવા માટેનું આકર્ષણ વધ્યું છે. ઓસ્ટ્રેલિયન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશને અમદાવાદમાં એક રોડ શોનું આયોજન કર્યું હતું. કમિશનના જણાવ્યા મુજબ ઓસ્ટ્રેલિયામાં ભણતા દરેક 10 ભારતીય વિદ્યાર્થીઓમાંથી 3 સ્ટુડન્ટ્સ ગુજરાતના હોય છે. કમિશને જણાવ્યું હતું કે, કોવિડ પહેલાના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સમાં ચીનની હિસ્સેદારી સૌથી વધુ હતી પણ વર્તમાનમાં ઓસ્ટ્રેલિયામાં ચીન કરતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. હાલ કુલ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સમાંથી 23% ભારતીય વિદ્યાર્થીઓ છે.

PM મોદીએ લોકસભા-રાજ્યસભાના 34 સાંસદો સાથે ચર્ચાઓ કરી, ગામે-ગામ લોકો સુધી પહોંચવાનો ટાર્ગેટ અપાયો

ગુજરાતમાં હવે ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થાય એવો માહોલ જામ્યો છે. આ સ્થિતિમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના ‘મિશન-150’ને પાર પાડવા ભાજપે અનોખો રોડમેપ પણ તૈયાર કરી દીધો છે. વડાપ્રધાન મોદીએ તેમના નિવાસસ્થાને ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના 34 સાંસદો સાથે સંવાદ કર્યો હતો. તે ઉપરાંત જનહિત માટે કેન્દ્ર સરકારના દરેક પ્રયાસોને જનતા સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. PM મોદીએ ગુજરાતના તમામ સાંસદોને ‘બૂસ્ટર ડોઝ’ આપીને વિકાસ કાર્યો જન જન સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

ક્રિપ્ટોને મંજૂરી નહીં છતાં સરકારની કમાણી શરૂ 11 એક્સચેન્જોસ પાસેથી 96 હજાર કરોડ વસૂલ્યા

વર્ચ્યુઅલ કરન્સી ક્રિપ્ટોમાં હજુ કાયદેસરની મંજૂરી મળી નથી પરંતુ સરકારે કમાણીનો માર્ગ શરૂ કરી દીધો છે. કેન્દ્ર સરકારે જીએસટી ચોરી મામલે 11 ક્રિપ્ટો એક્સચેન્જીસ પાસેથી રૂ. 95.86 કરોડ રિકવર કર્યા છે. દેશના ટોચના ક્રિપ્ટો એક્સચેન્જ વઝીરએક્સ, કોઈનસ્વિચ કુબેર, કોઈન DCX, યુકોઈન, યુનોકોઈન અને ફ્લિટપે સહિતના એક્સચેન્જીસ પાસેથી જીએસટી ન ચૂકવવા બદલ પેનલ્ટી અને વ્યાજ સહિત રૂ. 95.86 કરોડ વસૂલવામાં આવ્યા હોવાનુ નાણા મંત્રાલયે જણાવ્યું હતું.